મિત્રો બૉલીવુડ જગતના સૌથી સફળ ગણાતા હીરો 47 વર્ષીય ડાન્સ-કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર પ્રભુદેવા લગ્ન કરવા જઇ રહ્યા છે. અને તે પણ બીજીવાર, તમે જાણીને ચોંકી જશો કેમકે તે પોતાની જ ભત્રીજી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. આ સાંભળવામાં જરા અટપટુ લાગે છે પરંતુ આ સમાચાર વાયરલ થઈ ગયા છે. શર્મીલો સ્વભાવ અને વિવાદોથી એકદમ દુર રહેનારા પ્રભુદેવાના બીજા લગ્ન ચર્ચામાં આવી ગયા છે. જોકે હજુ સુધી પ્રભુદેવા કે તેની ટીમ તરફથી આ વાતને ના તો ફગાવવામાં આવી છે ના તેને કન્ફોર્મ કરવામાં આવી છે.
મિત્રો પ્રભુદેવાની પ્રૉફેશનલ લાઇફ ખુબજ શાનદાર અને સકૂન ભરેલી રહી છે. તો સાથે તેની પર્સનલ લાઇફ એટલી વધુ ઉતાર ચઢાવ ભરી રહી હતી. પ્રભુદેવા 1995માં રામલત્તા સાથે લગ્ન કરી લીધા હતા. રામલત્તા એક મુસ્લિમ સ્ત્રી હતી અને ક્લાસિકલ ડાન્સર પણ હતી, લગ્ન બાદ રામલત્તાએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. બન્નેને ત્રણ બાળકો પણ થયા છે પરંતુ મોટા દીકરા વિશાલનુ કેન્સરના કારણે 2008માં જ મોત નીપજ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુદેવાના સાઉથ એક્ટ્રેસ નયનતારાને ડેટ કરવાના રિપોર્ટ પણ આવી ગયા હતા. પ્રભુદેવાએ તામિલ ફિલ્મ વિલ્લૂમાં નયનતારાને કોરિયોગ્રાફ કર્યુ હતું અને આ સમયે બન્ને વચ્ચે ગાઢ પ્રેમ થઈ ગયો હતો. વર્ષ 2010માં પ્રભુદેવાએ નયનતારા સાથે સંબંધોની વાત માની લીધી હતી, અને તેની સાથે જ લગ્ન કરવાની વાત પણ કરી હતી. પ્રભુદેવા અને નયનતારાના સંબંધોની ખબર રમલત્તાને પડી ગઈ હતી અને બન્ને છુટા પણ થઇ ગયા હતા.
વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…..
વધુ વાંચો: દિશા પટની એ બિકિનીમાં પોતાનો બોલ્ડ ફોટો Instagram પર શેર કર્યા…